Skip to main content

Posts

Showing posts with the label ગુજરાતનો ભૂગોળ

Part 9 : ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

પવઁતની સમજ  પૃથ્વીની સપાટીના આશરે 26% ભાગ પર પર્વતો આવેલા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખરની ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના બે પ્રકાર પડે છે. ભૂગભિઁક પવઁતો અને અવશિષ્ટ અથવા શેષ પવઁતો. ભુગભિઁક  (ભૂસંચલનનીય પર્વતો) ૧) ગેડ પર્વત  ૨) ખંડ પર્વત  ૩) ઘુમ્મટાકાર પર્વત  ૪) જ્વાલામુખી પર્વત      ૧) ગેડ પવઁત પ્રસ્તર ખડકોવાળા ભુ-સંન્નતી ધરાવતા પ્રદેશો પર ભુ-સંચલને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ તેમા લહેર આકારની ગડીઓ પડે છે. અને તે દબાણબળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવની પ્રકિયા થતાં તેમાંથી કેટલા ભાગ ગડી સ્વરુપે ઊંચા  ઉપસી આવે છે.,તેને ગેડ પવઁત કહે છે. ગેડ પર્વત પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાં સાગરિય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. જે સાબિત કરે છે કે ગેડ પ્રવઁત ઉદભવ  સમુદ્રમાંથી થયેલ છે. પ્રાચીન પર્વતોમાં અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આજથી લગભગ ત્રણ કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાચલ, ઍન્ડીઝ ,રોક...

Part 8: ગુજરાતનો રણવિસ્તાર

ગુજરાતનો રણવિસ્તાર   કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે કચ્છની મુખ્યભૂમિની ઉત્તરે કચ્છનું મોટું રણ કચ્છની મુખ્યભૂમિની પૂર્વમાં કચ્છનું નાનું રણ   કચ્છનું મોટું રણ   પચ્છમ, ખડીર ,ખાવડા અને બેલા જેવા ટાપુઓ કચ્છના મોટા રણમાં આવેલા છે. કચ્છના રણની જમીન ક્ષાર, ઝીણી રેતી અને માટીની બનેલી છે. મીઠાથી છવાયેલો ભૂમિ વિસ્તારને અહીં ખારોપાટ કહે છે. ખારોપાટ ધરાવતું કચ્છનો રણ વિશ્વનું સૌથી મોટું સફેદ રણ છે. ચોમાસામાં રણનો દેખાવ છિછરા સરોવર જેવો લાગે છે. વરસાદ પછીના સમયમાં (શિયાળામાં) દૂરસુદૂરના દેશોમાંથી લાખોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) અહીં ઉતરી આવે છે. જે ફ્લેમિન્ગો છીછરાં ખારા પાણીમાં કાદવના ટેકરો બનાવી ટોચે ખાડો બનાવી તેમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ બચ્ચા ઉછેરે છે. ફ્લેમિંગો માટેનો નિયમિત પ્રજનન સ્થળ છે. આમ કચ્છના મોટા રણમાં દર વર્ષે સુરખાબનગર રચાઈ છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર જાન્યુઆરીમાં ધોરડોના સફેદ રણમાં કચ્છ રણોત્સવનું આયોજન થાય છે જેમાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે અને ટેન્ટ હાઉસમાં રહેવાનો લાભ પ્રાપ્ત થાય છે. કચ્છનો બન્ની વિ...

PART 7 ગુજરાતનો દરિયા કિનારો ભાગ 3

તળ ગુજરાતનો દરિયા કિનારો   તળ ગુજરાતને ૩૫૧ કિલોમીટરનો દરિયાકિનારો મળેલો છે. તળ ગુજરાતના દરિયાકિનારે સાબરમતી નદીના મુખથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી સમગ્ર  કિનારેો મહી , નર્મદા , તાપી અને તેમની ઉપનદી  મુખ દ્વારા ખાંચાખૂંચીવાલો બનેલો છે. ખંભાતથી દહેજ   આ દરિયા કિનારો જૂના કાપતી રચિત સીધો ઢોળાવવાળી કરાડોવાળી અને કાદવ કીચડવાળો છે.         દહેજ બંદર (રસાયણ બંદર)    ખંભાતના અખાતમાં ખોલવામાં આવેલ દહેજ એક ગ્રીનફિલ્ડ બંદર છે. દહેજ બંદરનો વિકાસ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) ,ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ(IPCL),પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ના સંયુક્ત સાહસે વિકાસ થયો છે. અહીં ગુજરાતી કેમિકલ લિમિટેડ દ્વારા નવું  કેમિકલ પોર્ટ ટર્મીનલ વિકસાવવામા આવેલું છે. ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મીનલ લિમિટેડ તરીકે ઓળખાતું આ બંદર ભારતના ઔદ્યોગિક દૃષ્ટિએ સુવણઁ  પટ્ટામાં આવેલું  છે. જે એશિયાનો સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. આ બંદરે પ્રવાહી વાયુ અને ઘન પદાર્થોની હેરફેર કરવાની વ્યવસ્થા છે. દહેજ બંદરને વ્યાપારી બંદર તરીકે વિકસાવ...

PART 7 ગુજરાતનો દરિયા કિનારો ભાગ ૨

સૌરાષ્ટ્રનો દરિયા કિનારો   ૧) કંડલાથી દ્વારકા  જેને સૌરાષ્ટ્રના દરિયા કિનારો પણ કહેવામાં આવે છે.  જેમાં અનેક ખાડીઓ અને નદીઓના મુખ આવેલા હોવાથી તેને વધુ ખાંચાખૂંચી વાળો છે. ઉત્તર કિનારે સમુદ્રમાં ડૂબેલા ટાપુઓ, નદીઓ, ખીણો  અને પરવાળાંના ખરાબા આવેલા છે. આ દરિયાકિનારા પરવાળાના ખરાબા અને  મેન્ગ્રોવ માટે જાણીતા છે. પરવાળાના ખરાબા  (Coral reef) સમુદ્રમાં અસંખ્ય જીવો વસતા હોય છે આ જીવોમાં પરવાળાના ટાપુઓ કે ભુમી ખંડના કિનારાની આસપાસ સમુદ્રમાં વિશિષ્ટ પ્રકારની ભાથ જેવી ચુનાળૂ ખડકાળ રચનાઓ બનાવે છે. જેને પરવાળાના ખરાબા કે ટેકરીઓ કહેવાય છે. સામાન્ય રીતે પરવાળાની આ રચના  સમુદ્રની સપાટી નીચે બને છે પરંતુ કેટલીક વાર  કોઈ કારણસર સમુદ્રનું તળિયું કે ટાપુ ઉપસી આવતાં તે બહાર દેખાય છે. આ દરિયા કિનારો પરવાળાના ખરાબા માટે જાણીતો એવો પીરોટન ટાપુ જામનગર આવેલો છે. મરીન નેશનલ પાર્ક અને અભિયાનમાં કોનઁલિયા'  ડોલ્ફિન, બોલ કેટ ,સ્ટારફીશ, બોનેલિયા ,જેલીફિશ વગેરે જેવા જળચરોનો સંરક્ષણ કરવામાં આવે છે. પરવાળાની અસ્તિત્વ અને વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિ. સા...

PART :7 ગુજરાતનો દરિયા કિનારો ભાગ ૧

  ગુજરાતનો દરિયા કિનારો    ૧) કચ્છના દરિયા કિનારો ૪૦૬ કિલોમીટર  ⚫કોટેશ્વરથી પશ્ચિમ કિનારો  ⚫કોટેશ્વરથી જખૌ  ⚫જખૌથી માંડવી  ⚫માંડવી થી કંડલા    ૨) સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૮૪૩ કિલોમીટર ⚫કંડલાથી દ્વારકા ⚫દ્વારકા થી વેરાવળ ⚫વેરાવળથી ગોપનાથ  ⚫ગોપનાથ થી ભાવનગર  ⚫ભાવનગરથી સાબરમતી નદીના મુખ સુધી ⚫ખંભાતના અખાતનો દરિયા કિનારો     ૩) તળ ગુજરાતનો દરિયાકિનારો ૩૫૧ કિલોમીટર   ⚫ખંભાતથી દહેજ ⚫મહીંથી ઢાઢર નદી સુધીનો.   કચ્છનો દરિયા કિનારો ⚫ ગુજરાતની પશ્ચિમે કચ્છનો અખાત અને કચ્છની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. ⚫ કચ્છને ૪૦૬ કિલો મીટરનો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે તે સાથે કચ્છના દરિયાકિનારે નાની મોટી નાળો (creek)  પણ જોવા મળે છે. ૧) કોટેશ્વરથી પશ્ચિમ કિનારો   ⚫ કચ્છના કોટેશ્વર છે પશ્ચિમે આવેલા દરિયાઈ વિસ્તારમાં બે મહત્ત્વની નાળ જોવા મળે છે. સિરક્રીક   ⚫ સિરક્રિક ખાડી ભારતમાં ગુજરાતનો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનમાં સિંઘ સરહદ પાસે ૨૪° અક્ષાંશ   ઉપર આવેલી છે .સિરક્રિક ભારત ...

PART 6 ગુજરાતનું ભૂપૃષ્ઠ

ભુપૃષ્ઠ કોને કહેવાય ? ⚫ભુકવચની ઉપરની સપાટીમાં આવેલાં વિવિધ પ્રકારના ખડકો જમીનોને યાચના નદી તંત્ર મેદાન પ્રદર્શન અને દરિયા કિનારા જેવા વિવિધ ભૂમિ સ્વરૂપોને ભુપૂષ્ઠ કહેવાય છે. ભુસંચલનને કારણે ભૂપૃષ્ઠ નો ઉદભવ ? ⚫ભૂસંચલનને કારણે સૌપ્રથમ બે મોટા સ્વરુપો ભૂમિખંડ અને મહાસાગરો રચાયાં છે જેથી તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા. ⚫ તેમની પર આંતરિક પરિબળોની અસરથી પર્વતો- ઉચ્ચપ્રદેશો -મેદાનો- ફાટખીણ   વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ . ⚫ આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારા અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકાર રચાયા જેમ કે V કે U આકારની ખીણ-જળધોધ- રેતીના ઢુવા-  હિમ અશ્માવલી કે ભૂસ્થળ કે સમુદ્ર કે સમુદ્ર  કરાર વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભુમી સ્વરૂપ માં થાય છે. ભૂમિના સ્વરૂપો    ⚫પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો ભૂમિખંડ- મહાસાગરો      ⚫ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો  પર્વતો -ઉચ્ચ પ્રદેશો -મેદાનો - ખીણો ⚫ તૃતીય શ્રેણીના ભૂમિના સ્વરૂપો   ૧) નદી દ્વારા રચાતાં ⚫ v આકારની ખીણ ⚫ જળધોધ ⚫ કોતરો ⚫ મુખત્રિકોણ મ...

Part 5 : ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર

ગુજરાતનું સ્થાન   ⚫ ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલું છે. ⚫ ભારત દેશ અક્ષાંશદૃષ્ટિએ ઉત્તર ગોળાધઁમાં અને દેશાંન્તરિય દૃષ્ટિએ પૂર્વી  ગોળાધઁ ની મધ્યમાં છે. ⚫ ભારતની આકૃતિ ચતુષ્કોણીય છે . ⚫ ભારત દક્ષિણ એશિયાને મધ્યમાં સ્થિત છે. ગુજરાતમાં અક્ષાંશ -રેખાંશ    ઉત્તર અક્ષાંશ: ૨૦°.૦૬´ થી ૨૪°.૪૨ '                       ઉત્તર અક્ષાંશ વુત સુધી.  પૂર્વ રેખાંશ : ૬૮°.૧૦´થી ૭૪°.૨૮'                           પૂર્વ રેખાંશ વુત સુધી ⚫ કકઁવુત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય   અને કકઁવુતની ઉપરનો  વિસ્તાર સમશીતોષ્ણ હોવાથી ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર  ઉષ્ણકટિબંધીય તેમજ બહુ થોડોક ભાગ સમશિતોષ્ણ છે. ⚫ જે સમશીતોષ્ણ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. ⚫ કકઁવુત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થતું હોવાથી તેની અસર આબોહવા ઉપર થાય છે. કકઁવુતમાંથી પસાર થતાં ગુજરાતના ...

Part 4 ગુજરાત ભૌગોલિક પ્રદેશ ભાગ : ૨

ઝાલાવાડ જિલ્લો સુરેન્દ્રનગર  ⚫ કચ્છના નાના રણ અને નળ સરોવરની વચ્ચે આવેલા સુરેન્દ્રનગર વિસ્તારને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કચ્છના નાના રણના નીચાણવાળા ભાગમાંથી આવતું દરિયાનું પાણી આ વિસ્તાર સુધી ફેલાતું હોવાથી મીઠાનું સારુ એવુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ⚫ મીઠાના ઉત્પાદન માટે જાણીતું ખારાઘોડા સુરેન્દ્રનગર   જિલ્લામાં આવેલું છે. ⚫ લીંબડી ભોગાવો અને  વઢવાણ નદીઓ સુરેન્દ્રનગર જિલ્લાના વહેતી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતર માટે જાણીતો છે. ⚫ ઝાલા રાજ્યના સ્થાપક હરપાળદેવ હતાં જેની રાજધાની પાટડી હતી. ⚫ કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર ઉત્પાદન વડોદરા જિલ્લામાં થાય છે. ⚫ ઝાલા મૂળ મકરાન પ્રદેશના રાજવીના વંશજ હતા જેઓએ કર્ણદેવ સોલંકીએ પાટડીની જાગીર આપેલી હતી. ⚫ ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો . ⚫ ચોટીલાના પ્રદેશની ઓળખ પાંચાલ પ્રદેશ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ને પિંક સિટી કહેવાય છે. દારુકાવન         ⚫ મહાભારતમાં ઉલ્લેખ થયો હોય તેવું સ્થળ. દેવભુમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા શંખો...