Skip to main content

Part 8: ગુજરાતનો રણવિસ્તાર

ગુજરાતનો રણવિસ્તાર  
કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે
કચ્છની મુખ્યભૂમિની ઉત્તરે કચ્છનું મોટું રણ કચ્છની મુખ્યભૂમિની પૂર્વમાં કચ્છનું નાનું રણ  

કચ્છનું મોટું રણ  
પચ્છમ, ખડીર ,ખાવડા અને બેલા જેવા ટાપુઓ કચ્છના મોટા રણમાં આવેલા છે.

કચ્છના રણની જમીન ક્ષાર, ઝીણી રેતી અને માટીની બનેલી છે.

મીઠાથી છવાયેલો ભૂમિ વિસ્તારને અહીં ખારોપાટ કહે છે.
ખારોપાટ ધરાવતું કચ્છનો રણ વિશ્વનું સૌથી મોટું સફેદ રણ છે.

ચોમાસામાં રણનો દેખાવ છિછરા સરોવર જેવો લાગે છે.

વરસાદ પછીના સમયમાં (શિયાળામાં) દૂરસુદૂરના દેશોમાંથી લાખોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) અહીં ઉતરી આવે છે.

જે ફ્લેમિન્ગો છીછરાં ખારા પાણીમાં કાદવના ટેકરો બનાવી ટોચે ખાડો બનાવી તેમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ બચ્ચા ઉછેરે છે. ફ્લેમિંગો માટેનો નિયમિત પ્રજનન સ્થળ છે.

આમ કચ્છના મોટા રણમાં દર વર્ષે સુરખાબનગર રચાઈ છે.

પ્રતિ વર્ષ ડિસેમ્બર જાન્યુઆરીમાં ધોરડોના સફેદ રણમાં કચ્છ રણોત્સવનું આયોજન થાય છે જેમાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે અને ટેન્ટ હાઉસમાં રહેવાનો લાભ પ્રાપ્ત થાય છે.

કચ્છનો બન્ની વિસ્તાર ઊંચા ઘાસની ભુમી તરીકે જાણીતો છે પરંતુ જળવાયુ પરિવર્તનને કારણે તે ઘાસમાં ઘટ જોવા મળી રહી છે.

કચ્છના રહેવાસીઓના ઝૂંપડાઓને ભૂંગા કહેવામાં આવે છે જે ભુંગાઓના સમૂહને વાંઢ  કહેવાય છે. જે રણોત્સવમાં આકર્ષણ પેદા કરે છે.

કચ્છના રણોત્સવમાં કચ્છનું વાંજિત્ર સુરિન્દ પણ આકર્ષણ જમાવતું હોય છે.

અલ્લાહ બંધ  
16 જૂન, 1819ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપને લીધે હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં.

કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું સિંધરી બંદર સંપૂર્ણ રૂપે દરિયામાં ડૂબી ગયું.

સિંધુ નદીનો એક ફાંટો કચ્છ તરફ ફંટાઈને લખપત તાલુકાની ફળદ્રુપ બનાવી મીઠુ પાણી પુરૂ પાડતો હતો તેના ભૂકંપ ગણતરીની મિનિટોમાં 26 કિલોમીટર પહોળો અને 3 મીટર ઊંચાં ધરતીના પટ ઉચકીને બંધ કરી દીધો.

જ્યારે ટેકરીઓની હારમાળા રચાઈ ગઈ ને તે આજે અલ્લાહ તરીકે ઓળખાય છે.

કચ્છના મોટા રણની ઉત્તરે પાકિસ્તાનનો સિંધ પ્રદેશ જોડાયેલો હોવાથી આજે પણ સિરક્રીક વિવાદિત વિસ્તાર છે તેમજ ભારત~ પાકિસ્તાન વચ્ચે છડાબેટ વિવાદને લઇને કચ્છનો ટ્રિબ્યૂનલની રચના થઈ ગઈ હતી.મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇના સમયમાં કચ્છ ટ્રિબ્યૂનલનો ચુકાદો આવતાં છતાં છડાબેટનો સમાવેશ પાકિસ્તાનમાં થયો છે.

કચ્છના મોટા રણમાં ખદિર બેટમાં ઐતિહાસિક સ્થળો ધોળાવીરા આવેલું છે.

કચ્છના મોટા રણની પુવઁ બાજુએ બનાસકાંઠા જિલ્લાના અધઁરણ વિસ્તારને ગોઢાનો પ્રદેશ કહેવામાં આવે છે.

કચ્છનું મોટું રણ બનવા પાછળનું પરિબળ અલ્હાબાદબંધ છે.

કચ્છનો કુલ રણક્ષેત્ર 27,200 ચોરસ કિલોમીટર.
પૂર્વ - પશ્ચિમ : 256 કિલોમીટર લાંબુ
ઉત્તર - દક્ષિણ : 128 કિલોમીટર પહોળો વિસ્તાર અંદાજીત: 22,500 ચોરસ કિલોમીટર.

ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ફેરમાં કચ્છ રણોત્સવને બેસ્ટ ડેકોરેશન નો એવોર્ડ પ્રાપ્ત થયો.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના નડાબેટ ખાતે ગુજરાત સરકારે વાઘા બોર્ડરની જેમ  સીમા પ્રદર્શન શરૂ કર્યું .

કચ્છના રણમાં ભૂલા પડેલાને સંત મેકરણદાદા મદદ કરતાં હતાં તેઓની સમાધી હબા ડુંગર પર આવેલી છે.

અંધારી રાત્રીઓમાં નૃત્ય કરતો કે ડોલતો  પ્રકાશ જેને સ્થાનિક ભાષામાં ચિરબત્તી (ભૂતોના પ્રકાશ) કહે છે તે રણ અને તેની આસપાસ બન્ની ક્ષેત્રોને ભુમિ પર દેખાય છે.

રણોત્સવને શરુઆત 2006/07 ના વર્ષથી થઈ છે જેનું ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી આયોજન થાય છે.

રણની વિશેષતા  
કચ્છના રણ રેતીનાં રણ નહીં પણ ખારાપાટના વેરાન પ્રદેશ છે.

આ બન્ને રણો ખંડીય છાજલી ઉચકવાથી બનેલા હોવાનું મનાય છે.

સૂકીૠુતુ આ બન્ને રણો સૂકા રહે છે.

રણનો ખારાથી છવાયેલો ભાગ " ખારો"  કહેવાય છે.

રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને કડવો ક્ષાર થાય છે તે જમીનને ખારાસરી કહે છે.

રણનો ઊંચો ભાગ ત્યાં ખેતી થઈ શકે છે તેવા ભાગને લાણાસરી કહેવાય છે.

ચોમાસામાં ત્યારે રણપ્રદેશમાં બધે પાણી ભરાઈ જાય છે ત્યારે આ પ્રદેશો ટાપુઓ જેવા લાગે છે.
 
કચ્છનું નાનું રણ  
કચ્છનું નાનું રણ એ ક્ષાર કળણ ધરાવે છે.
 
બનાસ, રૂપેણ ,સરસ્વતી, કચ્છના નાના રણ સમાઈ જતી હોવાથી આ ત્રણેય નદીઓ  ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે.

મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્ગુ નદીઑ  પણ કચ્છના નાના રણમાં સમાઈ જતી હોવાથી આ ત્રણેય નદીઓ સૌરાષ્ટ્રને કુંવારીકા નદી કહેવાય છે.

ચોમાસામાં આ નદીઓના પાણી નાના રણમાં આવે છે ત્યારે કેટલાક મોટા વિસ્તારો પાણીની બહાર રહે છે જે  ટાપુ તરીકે અને નાના વિસ્તારો ને ટીંબા  તરીકે ઓળખાય છે.

કચ્છના નાના રણ પાસે સુરજબારી આવેલું છે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ સૂરજબારી પુલ કહેવાય છે સુરજબારી પાસે કાદવકીચડથી રચનાથી પરિવહન માટે પુલની વ્યવસ્થા છે.

નાના રણમાં વેરાન પ્રદેશમાં વિસ્તાર વધુ હોવાથી ત્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.

કચ્છના નાના રણને ભારતીય જંગલી ગધેડો એટલે કે ઘુડખર માટે વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ મનાય છે. તેથી ઘુડખરના સંવઘઁન માટે આ સ્થાને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે.

આ સ્થળે ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તન જેવા કે ભારતીય શિયાળ (કેનીસ ઈન્ડીકા), લાલ શિયાળ અને રણના શિયાળ તેમજ નીલગાયનું આશ્રયસ્થાન છે.

આ રણમાં મીઠું થાય છે અને અહીં પારંપરિક મીઠુ પકવવાના વ્યવસાય છે ગુજરાત વન વિભાગ તેનો વિરોધ કરી રહ્યું છે કારણ કે ઘુડખર પર તેની અસર થઈ શકે છે જેથી આ વિસ્તારમાં  ઝીંગા ઉછેર નું કાર્ય શરૂ થયું છે. 

પૂર્વથી પશ્ચિમ :128 કિલોમીટર લાંબો
ઉત્તરથી દક્ષિણ: 16-64 કિલોમીટર પહોળો વિસ્તાર અંદાજિત: 4700 ચોરસ કિલોમીટર  છે.

ગુજરાતની કુંવારિકા નદીઓ બનાસ, રૂપેણ, સરસ્વતી.

સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્કુ,

કચ્છના મોટા રણ ના નારા વચ્ચે વાગડનું મેદાન આવેલું છે.

ગાયોના રક્ષણ કાજે શહીદ થયેલા સુરેન્દ્રનગરના વીર વચ્છરાજ દાદાનાં સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવિયુ છે.

Thank you for article read 



 

Comments

Popular posts from this blog

Part 4 -ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ભાગ ૧

ભૌગોલિક પ્રદેશ ⚫ કચ્છ જીલ્લો મુખ્યત્વે રણપ્રદેશ અને સુક્કો વિસ્તાર ધરાવતો પ્રદેશ હોવાથી કચ્છમાં બનેલા મેદાનો વધુ ફળદ્રુપતા ધરાવતો નથી પણ કચ્છની અંદર  આવેલા મુખ્ય મેદાનોમાં કંઠી મેદાન ,બંન્ની પ્રદેશ અને વાગડના મેદાનને ધ્યાનમાં લઈ શકાય  કંઠીનુ મેદાન (જિલ્લો કચ્છ ) ⚫ કચ્છ જિલ્લાને દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારે આવેલા મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી એટલે કે માળા જેવો આકાર જોવા મળતો હોવાથી તેને કંઠી મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ⚫ કંઠીના મેદાનમાં નલિયા , માંડવી , મુન્દ્રાના મેદાનનો સમાવેશ થાય છે. ⚫ આ કંઠીનુ મેદાન ખજૂર , ખારેક 'કેરી જેવા પાકોની ખેતી થાય છે. ⚫ કંઠીના મેદાનમાં નાયરો , કનકાવતી, રૂકમાવતી .નાગમતી ,  ભૂખી નદી વહે છે. બન્ની પ્રદેશ (જિલ્લો કચ્છ) ⚫ કચ્છની ઉતરમાં આવેલા બંન્ની પ્રદેશ જે નદીઓના કાંપ અને ચોમાસાના પાણીના કારણે ત્યાં ઉગી નીકળતા ઉંચા ઘાસ માટે જાણીતો છે. ⚫ આ વિસ્તારમાં રહેતા લોકોને મુખ્ય આર્થિક પ્રવુતિ  પશુપાલન છે. ⚫ બન્નીનું ઊંચું ઘાસ પશુચારા સિવાય આ વિસ્તારમાં રહેતા લોકોના રહેઠાળ ભૂંગા ઝુપડા માટે ઉપયોગી બને છે. વ...

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ   ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...

Learn how to solve math problem Best App 2020 ?

Learn how to solve math problem Best App 2020?? Download Photomath Application for Maths Solutions..           Learn how to solve math problems, check homework assignments and study for upcoming exams and ACTs/SATs with the world’s most used math learning resource. Over 100+ million downloads also, and billions of problems solved every month! Photomath is FREE and works without wi-fi also.              How Works Photomath Application Instantly scan printed text AND handwritten math problems using your device’s camera or type and edit equations with our scientific calculator also. Photomath breaks down every math problem into simple also, easy-to-understand steps so you can really understand core concepts and can answer things confidently also. ey Features of Photomath Applciation Scan textbook (print) AND handwritten problems Scientific calculator Step-by-step explanations for every solution Multi...