Skip to main content

Posts

Showing posts from September 5, 2021

Part 8: ગુજરાતનો રણવિસ્તાર

ગુજરાતનો રણવિસ્તાર   કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે કચ્છની મુખ્યભૂમિની ઉત્તરે કચ્છનું મોટું રણ કચ્છની મુખ્યભૂમિની પૂર્વમાં કચ્છનું નાનું રણ   કચ્છનું મોટું રણ   પચ્છમ, ખડીર ,ખાવડા અને બેલા જેવા ટાપુઓ કચ્છના મોટા રણમાં આવેલા છે. કચ્છના રણની જમીન ક્ષાર, ઝીણી રેતી અને માટીની બનેલી છે. મીઠાથી છવાયેલો ભૂમિ વિસ્તારને અહીં ખારોપાટ કહે છે. ખારોપાટ ધરાવતું કચ્છનો રણ વિશ્વનું સૌથી મોટું સફેદ રણ છે. ચોમાસામાં રણનો દેખાવ છિછરા સરોવર જેવો લાગે છે. વરસાદ પછીના સમયમાં (શિયાળામાં) દૂરસુદૂરના દેશોમાંથી લાખોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) અહીં ઉતરી આવે છે. જે ફ્લેમિન્ગો છીછરાં ખારા પાણીમાં કાદવના ટેકરો બનાવી ટોચે ખાડો બનાવી તેમાં ઈંડા મૂકે છે અને ત્યારબાદ બચ્ચા ઉછેરે છે. ફ્લેમિંગો માટેનો નિયમિત પ્રજનન સ્થળ છે. આમ કચ્છના મોટા રણમાં દર વર્ષે સુરખાબનગર રચાઈ છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર જાન્યુઆરીમાં ધોરડોના સફેદ રણમાં કચ્છ રણોત્સવનું આયોજન થાય છે જેમાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે અને ટેન્ટ હાઉસમાં રહેવાનો લાભ પ્રાપ્ત થાય છે. કચ્છનો બન્ની વિ...

PART 7 ગુજરાતનો દરિયા કિનારો ભાગ 3

તળ ગુજરાતનો દરિયા કિનારો   તળ ગુજરાતને ૩૫૧ કિલોમીટરનો દરિયાકિનારો મળેલો છે. તળ ગુજરાતના દરિયાકિનારે સાબરમતી નદીના મુખથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી સમગ્ર  કિનારેો મહી , નર્મદા , તાપી અને તેમની ઉપનદી  મુખ દ્વારા ખાંચાખૂંચીવાલો બનેલો છે. ખંભાતથી દહેજ   આ દરિયા કિનારો જૂના કાપતી રચિત સીધો ઢોળાવવાળી કરાડોવાળી અને કાદવ કીચડવાળો છે.         દહેજ બંદર (રસાયણ બંદર)    ખંભાતના અખાતમાં ખોલવામાં આવેલ દહેજ એક ગ્રીનફિલ્ડ બંદર છે. દહેજ બંદરનો વિકાસ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) ,ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ(IPCL),પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ના સંયુક્ત સાહસે વિકાસ થયો છે. અહીં ગુજરાતી કેમિકલ લિમિટેડ દ્વારા નવું  કેમિકલ પોર્ટ ટર્મીનલ વિકસાવવામા આવેલું છે. ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મીનલ લિમિટેડ તરીકે ઓળખાતું આ બંદર ભારતના ઔદ્યોગિક દૃષ્ટિએ સુવણઁ  પટ્ટામાં આવેલું  છે. જે એશિયાનો સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. આ બંદરે પ્રવાહી વાયુ અને ઘન પદાર્થોની હેરફેર કરવાની વ્યવસ્થા છે. દહેજ બંદરને વ્યાપારી બંદર તરીકે વિકસાવ...

PART 7 ગુજરાતનો દરિયા કિનારો ભાગ ૨

સૌરાષ્ટ્રનો દરિયા કિનારો   ૧) કંડલાથી દ્વારકા  જેને સૌરાષ્ટ્રના દરિયા કિનારો પણ કહેવામાં આવે છે.  જેમાં અનેક ખાડીઓ અને નદીઓના મુખ આવેલા હોવાથી તેને વધુ ખાંચાખૂંચી વાળો છે. ઉત્તર કિનારે સમુદ્રમાં ડૂબેલા ટાપુઓ, નદીઓ, ખીણો  અને પરવાળાંના ખરાબા આવેલા છે. આ દરિયાકિનારા પરવાળાના ખરાબા અને  મેન્ગ્રોવ માટે જાણીતા છે. પરવાળાના ખરાબા  (Coral reef) સમુદ્રમાં અસંખ્ય જીવો વસતા હોય છે આ જીવોમાં પરવાળાના ટાપુઓ કે ભુમી ખંડના કિનારાની આસપાસ સમુદ્રમાં વિશિષ્ટ પ્રકારની ભાથ જેવી ચુનાળૂ ખડકાળ રચનાઓ બનાવે છે. જેને પરવાળાના ખરાબા કે ટેકરીઓ કહેવાય છે. સામાન્ય રીતે પરવાળાની આ રચના  સમુદ્રની સપાટી નીચે બને છે પરંતુ કેટલીક વાર  કોઈ કારણસર સમુદ્રનું તળિયું કે ટાપુ ઉપસી આવતાં તે બહાર દેખાય છે. આ દરિયા કિનારો પરવાળાના ખરાબા માટે જાણીતો એવો પીરોટન ટાપુ જામનગર આવેલો છે. મરીન નેશનલ પાર્ક અને અભિયાનમાં કોનઁલિયા'  ડોલ્ફિન, બોલ કેટ ,સ્ટારફીશ, બોનેલિયા ,જેલીફિશ વગેરે જેવા જળચરોનો સંરક્ષણ કરવામાં આવે છે. પરવાળાની અસ્તિત્વ અને વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિ. સા...

8 સપ્ટેમ્બર,૨૦૨૧

  ૧)તમિલનાડુ ભારતનું પ્રથમ ડગોંગ  સંરક્ષણ રિઝર્વ સ્થપાશે. તમિલનાડુ સરકારે તાજેતરમાં દક્ષિણ - પૂર્વ કિનારા પર પાક અખાતમાં ભારતનું પ્રથમ ડુગોંગ  સંરક્ષણ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. ડુગોંગ અથવા ગાય એક જોખમી દરિયાઇ સસ્તન પ્રાણી છે. રહેઠાણ ગુમાવવા ,દરીયાઈ પ્રદુષણ અને દરિયાની ઘાંસના નુકસાનને કારણે તે લુપ્ત થવાનો સામનો કરી રહ્યું છે. ડુગોંગ તમિલનાડુ ના બંગાળના મન્નાર અખાતમાં અને પાક ખાડીમાં જોવા મળે છે. મન્નારનો અખાત તામિલનાડુના દક્ષિણ પૂર્વ છેડા અને પશ્ચિમ શ્રીલંકા વચ્ચેનો છિછરો અખાડો ધરાવતો પ્રદેશ છે. સમુદાયની ભાગીદારીની મદદથી સરકાર આ પ્રજાતિની સુરક્ષા માટે મન્નારના અખાત  અને પાક ખાડી વિસ્તારમાં ડુગોંગ  સમૃદ્ધિ સંરક્ષણ રિઝર્વ પણ બનાવશે. પાક ખાડીમાં ૫૦૦ કિલોમીટરના વિસ્તારમાં દરિયાની સંરક્ષણ અનામત સ્થાપિત કરવામાં આવશે. ડુગોંગ એક દરિયાઇ સસ્તન પ્રાણી છે અને તે સિરેનિયા ક્રમની એકમાત્ર જીવંત પ્રજાતી છે આ સસ્તન દરિયાઈ ધાસને કારણે દરિયાકાંઠાના વસવાટ સુધી મર્યાદિત છે જે તેનો આહારનો મુખ્યભાગ છે તેનો સૌથી નજીકનો સંબંધી steller's Sea Cow છે જે 18 મીસદીમાં લુ...