ગુજરાત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે "નરેન્દ્ર મોદી વન" નું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71ના જન્મ દિવસે એટલે કે (17સપ્ટેમ્બર,2021 ના રોજ)અમદાવાદ લાલબહાદુર શાસ્ત્રીના તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી વનમાં 71 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો મિયાવાકી પદ્ધતિ ના ઉપયોગ કરીને અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 71 હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ થશે તેમજ એક અઠવાડિયામાં સવા લાખ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. નોંધ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન ને વેગવંતુ બનાવવા કરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના...
IMP4GPSC ACADEMY
ચાલો પહેલ કરીએ સરકારી અધિકારી આ પોસ્ટ તમારા માટે છે અહીં તમને ગવર્મેન્ટ તૈયારી કરવામાં મદદ કરશે.દરરોજ પોસ્ટ મુકવામાં આવશે .