પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY )
સરકાર ભારતમાં 36000 ગામમાં આદર્શ ગ્રામ યોજના શરૂ કરશે.
કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અજુર્ન મુંડા અનુસાર પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ભારતના 36000 ગામોમાં શરૂ કરવામાં આવશે.
કી પોઈન્ટ
આ યોજના હેઠળ 50% આદિજાતિ વસ્તી ધરાવતા ગામોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ યોજના આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે.
આ યોજના હેઠળ આસામના આશરે 1700 આદિવાસી ગામોને મોડલ ગામમાં રૂપાંતરિત કરવામાં આવશે.
મોડેલ ગામોમાં ઉપરાંત આસામના 60 હજાર લોકોને લાભ મળે તે માટે 184 નવા વન ધન કેન્દ્ર પણ સ્થાપના કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY)
PMAGY ની પસંદગી SCના બહુમતી ગામોના સર્વાંગી વિકાસના હેતુથી કરવામાં આવી હતી.
સામાન્ય સામાજિક આર્થિક સૂચકાંકોનો દૃષ્ટિએ SC અને બિન SC વસ્તી વચ્ચેની અસમાનતા દૂર થાય તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના ગામોને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માગે છે.
તેની કામગીરીનું નિરીક્ષણ કેવી રીતે થાય છે ?
દરેક ગામ માટે તૈયાર કરેલા ગ્રામ વિકાસ યોજના ( VDP) માં પ્રતિબંધ લક્ષ્યોને સિદ્ધિની દૃષ્ટિએ PMAGY ની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.
કોણ તકનીકી સહાય પૂરી પાડે છે ?
આ યોજના હેઠળ "રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ (NIRD & PR )" રાષ્ટ્રીયસ્તરે તકનિકી સંસાધન સહાય પૂરી પાડવામાં આવે છે.
આદશઁ ગ્રામ હોવાનો માપદંડ
આદર્શ ગ્રામ તરીકે જાહેર કરવા માટે ગ્રામ નીચે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ લક્ષ્યો હાંસલ કરવા જોઇએ.
ગરીબી નાબૂદી અને ત્રણ વર્ષમા તેની ઘટનાઓમાં 50%નો ઘટાડો.
પ્રાથમિક તબક્કે બાળકોની 100% નોંધણી અને જાળવણી.
શિશુ મૃત્યુદર અને માતુ મૃત્યુ દરમાં ઘટાડો.
ગામોમાં 100% ખુલ્લામાં શોેચમુક્ત હોવો જોઇએ.
ટકાઉ ધોરણે સુરક્ષિત પીવાના પાણીની સુવિધાઓની એક્સેસ.
સગર્ભા સ્ત્રીઓ માટે 100 % સંસ્થાકીય ડિલીવરી.
બાળકો નું સંપૂર્ણ રસીકરણ.
ગામમાં ઓલ વેધર રોડ કનેક્ટિવિટી.
મૃત્યુ અને જન્મની 100% નોંધણી.
બાળલગ્ન અને બાળમજૂરી નહીં.
જાહેરમાં દારૂ અને નશીલા પદાર્થોનો વપરાશ નહીં.
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના મકાનોની 100% ફાળવણી.
Comments